SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૪૧ ૯૩ ભવવું-થવું-અનુભવવું તેનું નામ અનુભવ છે. રાગને અનુસરીને થવું તે તો વિકાર છે. અથવા ૫દ્રવ્યને અનુસરીને થવું તે પણ વિકાર છે. આહા.. હા ! ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવના સાક્ષાત દર્શન કરે અને અનુસરે તોપણ તે રાગ છે. આનંદનો નાથ આત્મા છે તેને અનુસરીને થાય તો તે ધર્મ છે. પહેલાં જ્ઞાન કરે કે-માર્ગ તો આ છે. જેનાં જ્ઞાન હજુ ખોટાં છે તેને સાચા માર્ગમાં જવાનો અવકાશ કયાં છે? આહા.. હા ! જીવનું સ્વરૂપ આવું છે લ્યો ! આતમ દ્રવ્ય, દ્રવ્યનયથી એટલે વસ્તુ જે છે એને જોનારા જ્ઞાનના અંશથી જોઈએ તો તે પટ માત્રની માફક (ચિન્માત્ર ) છે જેમ આખું વસ્ત્ર છે. એના તાણાવાણાને લક્ષમાં ન લે ત્યાં આખું પટ–વસ્ત્ર એમ, આખી ચીજ છે. જે નયનો અંશ આખી ચીજને લક્ષમાં લે, એ આત્મા ચિન્માત્ર છે. અર્થાત્ આત્મા દ્રવ્યનયથી ચૈતન્ય માત્ર છે. આહા... હા ! આ એક નય હોં ! હજી એક નયથી જણાય તેમ નથી... અત્યારે, જેમ ત્યાં નિશ્ચયનયથી આત્મા જણાય, દૃષ્ટિના વિષયમાં... એમ અહીં નથી. આ એક નયથી ચિન્માત્ર છે. એથી એકનયથી આખો આત્મા જણાય જાય એમ નથી. છતાં વાત તો એ કીધી કે ચિન્માત્ર છે. (પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૬૭ ) B Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy