SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯ (૫) સ્વ પર પ્રકાશકનું સમ્યક્ સ્વરૂપ: અપર પ્રતિભાસમાં આવતાં અપેક્ષિત ગુણ પ્રગટ થયો. હવે તેને બળ આવે છે અને જ્ઞાન પર્યાયના પ્રમાણમાં ભેદજ્ઞાન કરતાં સ્વપ્રકાશક પ્રગટે છે. આ સ્વપ્રકાશકમાં એકલો સામાન્ય જ્ઞાયક જ જણાય છે. આ સ્વપ્રકાશક ઉપાદેય સ્વભાવને જ અવલોકે છે. હવે નિર્વિકલ્પ ધ્યાનમાં તે જ સમયે નિશ્ચય અપર પ્રકાશક પ્રગટે છે. આ જ્ઞાનનો સવિકલ્પ સાકાર સ્વભાવ હોવાથી જ્ઞાન જ્ઞાનને જાણે છે. અથવા જ્ઞાન જ્ઞાયકને જાણે છે અને આનંદ આદિ નિર્મળ પર્યાયો પ્રગટ થઈ છે તેને પણ જાણે છે. આમાં માત્ર જાણવું જ છે. આ જાણવું સ્વભાવ અંદરમાં સ્વ કે પર કોઈ તરફ ઝૂકયા વિના જ્ઞાનત્વ સ્વભાવથી જાણી લ્ય છે. જો જ્ઞાનમાં બિલકુલ અપર પ્રકાશકપણું ન હોય તો સમ્યકદર્શન થયું તેની ખબર કેવી રીતે પડત? નિર્વિકલ્પના કાળે જો સવિકલ્પ નિશ્ચય રૂપર પ્રકાશક ન પ્રગટે તો એક સમયમાં “ઉત્પાદુ વ્યય ધ્રૌવ્ય યુક્તમ્ સનું જ્ઞાન થતું નથી તો તેને જાણવા બે સમય લાગે તો તો પક્ષ છે પરંતુ પક્ષીતિક્રાંત થયો નથી. અંદરમાં લક્ષ વિના પણ ઘણું જણાય છે. જો જાણવામાં ન આવે તો જ્ઞયની સિદ્ધિ થતી નથી. અને “ધ્યેયપૂર્વક શેયનો” તો સમય એક છે. વસ્તુમાં કમ નથી, જ્ઞાનમાં ક્રમ નથી, પરંતુ કથનમાં ક્રમ પડે છે. હવે સાધક સવિકલ્પ દશામાં આવે છે ત્યારે આજે જ્ઞાનમાં રાગ પ્રતિભાસે છે તેવું જ્ઞાન આત્માને જાણતું પરિણમે છે. શ્રી આચાર્ય દેવ કહે છે કે ““જણાયેલો પ્રયોજનવાન છે.” તે ગુણ નથી પણ દોષ છે. કારણ કે તેમાં શ્રેણી અટકે છે. જે શ્રેણી પ્રગટ કરવા માટેનો ઉપદેશ છે તે જ સમ્યક્દર્શન પ્રગટ કરવા માટેનો ઉપદેશ છે. આમ “સ્વપર પ્રકાશક પણ કથંચિત્ છે.” આ નિર્વિષયી જ્ઞાનનું સ્વરૂપ દર્શાવતાં પંચાધ્યાયીએ તો “સ્વપર પ્રકાશક જ્ઞાનને અસત્ લક્ષણ” બતાવ્યું છે. લક્ષપૂર્વક આત્માને જાણે છે તે જ્ઞાનનો સ્વપ્રકાશક સ્વભાવ છે. આત્મજ્ઞાન એકાંતે સ્વપ્રકાશક જ છે. પર પ્રકાશકતો નથી પરંતુ સ્વપર પ્રકાશક પણ નથી. સ્વપ્રકાશક તેમજ નિશ્ચય અપર પ્રકાશક જ્ઞાનમાં અસ્તિનાસ્તિ અનેકાંત વર્તતું હોવાથી તે કદી પરને જાણવા જાય કે તે જ્ઞાનમાં કદી પર પદાર્થો સ્વજ્ઞય થાય તેમ બનવાનું નથી ખરેખર પરમાર્થ સત્ય તો એ છે કે જ્ઞાયકના અહમાં પરને જાણવાનો નિષેધ રૂપ પરિણમન છે. તેને વિકલ્પરૂપ નિષેધની જરૂરત નથી. જે સમયે પર્યાયમાં અસ્તિધર્મ છે તે જ સમયે પર્યાયમાં નાસ્તિ ધર્મ પણ છે જ. તો પછી તે રૂપ તેનું પરિણમન પણ હોય ને?! એક પર્યાય તેના સ્વભાવ બે છે તેનો સ્વીકાર તે ધર્મ છે. અર્થાત્ અજ્ઞાની માને છે તેવું સ્વપર પ્રકાશક તો કદી આવવાનું જ નથી. તેથી નિશ્ચયથી જ જ્ઞાન આત્માને જાણે છે અને નિશ્ચયથી જ જ્ઞાન પરને (લક્ષ રૂપ ) નથી જાણતું આ બન્ને નિશ્ચય પરિણમનરૂપ છે. કોઈ જીવન પરનું જ્ઞાન થાય જ નહીં અશક્ય છે. જ્ઞાન આત્માને જ જાણે છે. પરને જાણવું અશક્ય છે. આમાં કથંચિત્ લાગુ ન પડે. સ્વભાવમાં ૧. શ્રી સમયસાર ગાથા-૭૫ ૨. શ્રી સમયસાર ગાથા-૧૨ ૩. શ્રી નિયમસાર ગાથા ૧૫૯ ૪. શ્રી પંચાધ્યાયી ગાથા ૫૪૨/૫૪૩ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy