SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત છે. નિષેધ કરવામાં નિર્દય થઈ જજે. પરને જાણવાનું બંધ કરીશ તો આંધળો થઈ જઇશ તો? તો કહે-ના, તું દેખતો થઈશ. પરને જાણવાનું બંધ કરે ત્યારે જ આત્મા દેખતો થાય છે. આહાહ! કરવતની માફક નિર્દય થઈ જા. જ્ઞાન પરને જાણે છે તે વ્યવહાર છે જ્ઞાન જ્ઞાનને જાણે છે તે નિશ્ચય છે. હું પરને જાણતો નથી તે વ્યવહારનો નિષેધ છે. હું પરને જાણું છું તેવો પક્ષ અનાદિનો છે, તેની પાસે વ્યવહાર નથી, એને જે પક્ષ છે તે છોડાવે છે. પક્ષ છૂટતાં પર્યાયને જાણવાનું બંધ થઈ જાય છે. જ્યાં સુધી પક્ષ રાખે ત્યાં સુધી પર્યાયને જાણવાનું બંધ થઈને ઉપયોગ અંદરમાં આવતો નથી. ઘણાં આમ ધ્યાનમાં બેસે છે પણ પક્ષ રાખીને. શ્રદ્ધામાં જ્ઞાનનો સ્વપરપ્રકાશકનો પક્ષ છે. જ્ઞાન તો જ્ઞાનને જાણે છે. જ્ઞાન પરને જાણે છે તેમ (શાસ્ત્રના આધારે પક્ષને દઢ કરે છે.) આચાર્ય ભગવાનને ખબર નથી કે જ્ઞાન સ્વપ્રકાશક છે. તેમને ખબર નથી કે પરને જાણવાનું બંધ કરતાં એકલું સ્વપ્રકાશક રહેશે. લખનારને ખબર નથી કે આ એકાંત થઈ જશે તો? તું ડહાપણ ક્યાં કરવા બેઠો. આમાં ઘણું રહસ્ય છે. અંદરના સ્વપરપ્રકાશકની પણ ના પાડે છે. પર્યાયને જાણવાનું બંધ કરી દે. આહા... હા ! ઘણું સૂક્ષ્મ છે. વ્યવહારનો નિષેધ વીર્યવાન જ કરી શકે છે. આ વીર્યવાનનું કામ છે જેમ પરને કરું છું તે મિથ્યા સંસ્કાર છે તેમ હું પરને જાણું છું તે પણ મિથ્યાત્વ છે. અધ્યવસાન છે. શેય-જ્ઞાયકની એકતા તેને ભગવાને અધ્યવસાનનો દોષ કહ્યો. કહે છે-દ્રવ્યને જોવા માટે પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દે. આ અનુભવીનો આદેશ છે. વાતને માથે ચડાવી લેજે! લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જઈશ માં ! આમાં એકાંત થઈ જશે તો તેવો વિચાર કરીશમાં. તેમાં સમ્યક એકાંત થશે. સ્વપરપ્રકાશકમાં પરને જાણવાનો નિષેધ આવશે ત્યારે એક નવું સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થઈ જાય છે. આમાં જ્ઞાનનો નિષેધ નથી પરંતુ વ્યવહારનો નિષેધ છે. અમે તારો નિષેધ ક્યાં કરીએ છીએ. તું પરને જાણનારો ક્યાં છો. તો તને શાનું દુઃખ લાગે છે? તું તો એવો છો નહીં. તું પરનો જાણનારો નથી એમ માનીશ તો તારું કામ થઈ જશે ભાઈ ! આહાહા ! તું મનુષ્ય છો; Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy