SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૩ પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત ૧૦પર શબ્દ એક છે પરંતુ વાચ્ય બે છે. “જાણનારો જણાય છે” એ જ શુદ્ધનય છે. “જાણનારો જણાય છે” એ જ પ્રમાણ છે. ધ્યેય જણાય છે એ જ શુદ્ધનય છે. આખું શેય જણાય છે તે પ્રમાણ છે. વાત તો એક જ રાખવી કે-“જાણનારો જણાય છે.' “જાણનાર જણાય છે તેમાં બંને આવી જાય છે. તેમાં શુદ્ધનય પણ આવી ગઈ અને પ્રમાણ પણ આવી ગયું. પર જણાય છે, એ તો પ્રમાણની બહાર છે. અને જ્યાં શુદ્ધનય હોય ત્યાં પ્રમાણ તો હોય જ અને પ્રમાણ હોય ત્યાં શુદ્ધનય હોય જ. ૧૦૫૩ જાણનાર જણાય છે” એ નાનકડું સૂત્ર છે પણ તેમાં દ્વાદશાંગ ભરેલું છે. તેમાં નય પણ આવી ગઈ અને પ્રમાણ પણ આવી ગયું. શુદ્ધનય પણ આવી અને અભેદનય પણ આવી ગઈ. જે જોઈએ તે બધું આવી ગયું. પર્યાય એક જ છે પરંતુ બંનેની સંધિ છે. અવિનાભાવ છે. પર્યાય એક, સમય એક એમાં બધું જ છે. ૧૦૫૪ “જાણનાર જણાય છે” તે શાશ્વત મહામંત્ર છે. અનંતા તીર્થકરોની દિવ્ય ધ્વનિમાં આવેલો આ મહામંત્ર છે. “જાણનાર જણાય છે તે વિદેહના સંતોધર્માત્માઓ ફરમાવે છે. અત્યારે સીમંધર ભગવાનની દિવ્ય ધ્વનિમાં ધોધ વહે છે. એમાં આ વાત આવે છે કે – “જાણનારો જણાય છે. એમાં જ શુદ્ધનય છે અને એમાં જ પ્રમાણ પણ છે. સર્વસ્વ એમાં જ છે. તે સ્વરૂપે જ્ઞાનનું પરિણમન જ્ઞાનીને છે તેથી જ્ઞાનીને શુદ્ધનય અને પ્રમાણ બધું હોય છે. તેમને અજ્ઞાન હોતું જ નથી કેમકે પર પ્રત્યે, પર્યાય ઉપર તેમનું લક્ષ હોતું જ નથી. પૂર્વે ક્યારેય સાંભળી ન હોય એવી અસાધારણ વાતો છે. ૧૦૫૫ બંધના છેદ માટે આ મંત્ર આવ્યો છે. દુઃખના અભાવ માટે આ માર્ગને સ્વીકાર્યો છે ને? તો પછી પોતાની કલ્પનાથી કેમ પ્રવર્તે છે? જ્ઞાની કહે છે એમ કેમ પ્રવર્તતો નથી ? “ જાણનાર જણાય છે” એમાં તું આવી જા ! એ શાશ્વત Please inform us of any errors on [email protected]
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy