SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત જિજ્ઞાસા: આવી વાત આવી કયાંથી ? આ કયાંથી આવી ? સમાધાનઃ અજ્ઞાનના ઘરમાંથી આવી. તમે કહો છો તેમ બધા માને તો જ્ઞાની થઈ જાય. જિજ્ઞાસાઃ આત્મામાં તો આવું છે નહીં “હું પરને જાણું છું” લાવ્યો કયાંથી ? સમાધાનઃ હું ૫૨ને જાણું છું લાવ્યો કયાંથી ? તમને (વધારે) ઝાઝા ભવ નથી, એમ મને લાગે છે. હું પરને જાણું છું તેમાં ભવની ઉત્પત્તિ થાય છે. વસ્તુમાં તો નથી. કરવું તો નથી કયાંય ગયું, પણ પ૨ને જાણવું એ નથી. સ્વભાવમાં નથી ૫૨ને જાણવાનું, પોતાને જાણવું છોડે તો પ૨ને જાણે ને? પોતાને જાણવાનું છોડે તો આત્મા જડ થઈ જાય. “જાણનાર જ જણાય છે” બધાને, બાળગોપાળ સૌને ભગવાન આત્મા જ જણાય છે. “હા” પાડતો લત લાગતાં હાલત થઈ જશે. ૧૩૧ તું પરને જાણતો નથી, ને ૫૨ને જાણું છું... ૫૨ને જાણું છું તેવો બકવાસ ખોટો કરે છે. ‘ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંત્તર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વા૨. ૬૩૫ જાણનાર જણાય છે અને ૫૨ જણાતું નથી. આમ સ્વપ્રકાશક જ્ઞાનથી જ આત્મા જાણવામાં આવે છે. પછી તેનું સામર્થ્ય સ્વપર પ્રકાશક તેવા બે પ્રકાર ઉપર જાઈશને તો અંદર નહીં જવાય. બે પ્રકારને ગૌણ કરીને “ઉપયોગમાં ઉપયોગ છે.” જિજ્ઞાસાઃ જ્ઞાન સ્વપર પ્રકાશક છે? 66 66 p સમાધાનઃ ના' મને ખબર નથી. જાણનાર જણાય છે” બીજું જણાતું નથી આવું અસ્તિનાસ્તિ અનેકાંત અનાદિથી છે. આ પ્રથમ જેને અનુભવ કરવો હોય તેને “ જાણનાર જણાય છે” ને બીજું જણાતું નથી. નિષેધપૂર્વક વિધિમાં આવે છે. ૬૩૬ આ “હું જાણનાર છું” એમ અભેદપણે જાણ્યું તેમાં જાણનાર થઈ ગયો. Please inform us of any errors on [email protected]
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy