SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates સંકલિત... કલમે શ્રી જિનેન્દ્ર ભગવંતો દ્વારા; તેમજ જેમની પરિણતી વારંવાર જાણનાર જણાય છે” તેવા પ્રચુરભાવે સ્વભાવારૂઢ થઈ અને સ્વભાવને અભિનંદે છે; તેવા કુંદામૃત આચાર્યો દ્વારા; પ્રાપ્ત સુધારસને પોતાના જ્ઞાનસાગરમાં અપ્રતિહત ભાવે ઝીલી અને જીવમાત્રને “જાણના૨ જણાય છે”નો મંત્ર આપનાર ગુણમૂર્તિ શ્રી ાનગુરુ દેવનાં ગુણગાનની ગૌરવ ગાથા શબ્દોમાં અનિર્વચનીય છે. 66 જેમ લૌકિકમાં ત્રણ વસ્તુઓ ઉત્તમ ગણાય છે. (૧) ક્લ્પવૃક્ષ (૨) કામધેનુ (૩) ચિંતામણિ, કારણ કે આ ત્રણે વસ્તુની ગણના ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરાવવામાં થાય છે. તેમ જાણનાર જણાય છે તે કલ્પવૃક્ષ છે, કામધેનુ છે, તેમજ ચિંતામણિ છે. આ ગ્રંથમાં સાક્ષાત મોક્ષસુખ પ્રાપ્ત થવાનું ઉત્કૃષ્ટ નિમિત્તપણું રહેલું છે. જગતમાં ઉપદેશ દાતા તો ઘણા જોવા મળે છે પરંતુ સિદ્ધાંત ાતા તો કોઈક...જૂજ...વિરલ વિભૂતિ જ હોય છે. હૈ! ાનલાલ ! દિનરાત અમે ફાલીએ ફૂલીએ તેવો મંત્ર આપશ્રીએ ઘણી ઘણી કરુણા કરીને આપ ધર્મપિતાએ આપ્યો છે. “હું જાણનાર છું” એમ જેને આવ્યું તેને જ “ જાણનારો જણાય છે. ,, આ ભેદજ્ઞાનની તીક્ષ્ણ ‘ચાવી ’ હાથમાં આવતાં એમ લાગવું જોઈએ કે: આ તો રત્ન ચિંતામણી નિધાન મળી ગયું. અરે! ભવ સમુદ્ર તરવાની નાવ મળી ગઈ. આવું કહેનાર અમને કોણ મળત!! આનાથી વધારે વે શું જોઈએ !! અમારું સર્વસ્વ આપે અમને આપ્યું છે. * વસ્તુ સ્થિતિ → * મારી સ્થિતિ કે * પરિસ્થિતિ → જાણનાર જણાય છે. જાણનાર જણાય છે. ૫૨ની સ્થિતિ. એટલે ૫૨ તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ જાણનાર જણાય છે. 99 આ સ્વભાવની વાત એવી છે કેઃ પરને જાણતો નથી, પર જણાતું નથી; “ જાણનારો જણાય છે તેમજ જ્ઞાન જાણનારને જ જાણે છે આ વાતની જેટલી કિંમત કરશે તે નિયમથી મોક્ષગામી જ હશે. આના ળમાં વળજ્ઞાન થવાનું, આ એટલી સાચી અને પાકી વાત છે. દરેકે હૃદયમાં ટંકોીર્ણિત કરી લેવા જેવી છે. આમ શ્રુતજ્ઞાન સાગર અમૃતના હિલોળા લેતું અદ્દભૂતાતીત પ્રકૃષ્ટ પ્રરૂપણા કરી. વચન અગોચર તત્ત્વ છે તેનો અપ્રતિત ભાવે સંદેશો આપ્યો છે. જ્યાં વજવાણી છૂટી કે: “જ્ઞાન પરને જાણતું નથી ”; ત્યાં તો મુમુક્ષુ જગતમાં ખળભળાટ મચી ગયો. અનેક ઉપસર્ગો મધ્યે આપશ્રી સમેરૂની જેમ અચલ અને અડિગ્રહ્યા. ત્રિકાળ સનાતન સિદ્ધાંતિક વસ્તુ સ્વરૂપની નિઃશંક બુલંદ ગર્જના કરતા અને સ્વરૂપની સાધના કરતા આગળ વધી રહ્યા. મંગલ સિદ્ધાંતની મંગલ ઉદ્ઘોષણા કરી અને સંસારી જ્વોની કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિના નાશની ઔષધિ આપી. આમ ધ્યેયપૂર્વક જ્ઞેય ભાવમાં આમંત્રિત કર્યાં. જેમ પ્રવચનસારજી શાસ્ત્રની ૧૧૪ ગાથાની ટીકામાં ‘અનુક્રમ ’ શબ્દ લીધો છે; તેમ ‘જાણના૨ જણાય છે' તે પુસ્તકમાં બે પાઠ છે અને બન્ને પાઠ અનુક્રમથી લીધા છે. સૌ પ્રથમ ર્હાબુદ્ધિના શલ્ય ઉપર એટમબોંબ ફેંક્યો છે અને પછી જ્ઞાતાબુદ્ધિના શલ્ય ઉપર એટમબોંબ ફેંક્યો છે. પ્રથમ પાઠ છે કરનાર નથી પણ જાણનાર છે. બીજો પાઠ “જાણનાર જણાય છે ખરેખર પ૨ જણાતું નથી.” જ્યાં કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિનો નિષેધ કર્યો તો સ્વભાવનો સ્વીકાર થયો ત્યાં સાક્ષાત જ્ઞાતાભાવમાં પદાપર્ણ થયો. આમ આ ગ્રંથ મિથ્યાત્વનું ઝેર Please inform us of any errors on [email protected]
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy