________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧/૯
૫૨૫
જે ઉપયોગમાં “જાણનારો જણાય છે” તે જ ઉપયોગમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય છે. અર્થાત પ્રતિભાસિત થાય છે.
૫૨૬
વવાણિયા ગયો હતો; પછી મોરબી ઈન્દુભાઈને ત્યાં કહ્યું ! આ જે સ્વપર પ્રકાશક છે ને તે વ્યવહાર છે. હવે કોઈ સમ્યક્રદૃષ્ટિ પણ આ અપર પ્રકાશક વ્યવહારને ગુસ્વાણી છે એમ સમજીને સત્ય માને તો મિથ્યાદષ્ટિ થઈ જાય. અપર પ્રકાશક પ્રમાણનું વાક્ય છે. તેમાંથી ભેદજ્ઞાન કરવાનું છે કેઃ “જાણનારો જણાય છે, અને પર જણાતું નથી. આવા બનાવો બની ગયા છે.
૫૨૭.
આત્મધર્મ અંક ૩૯૨. “જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ.” આમાં પૂ. ગુરુદેવ કહે છે કેઃ “જાણનારો જણાય છે પણ ઈ. સ્વીકાર કરતો નથી. લઈ લ્યો બોર્ડ! ગુવાણી છે ને!!
“જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે.” જુઓ ! અને જાણવાનું લખ્યું છે, સ્વપર બેને નહીં. એક એક શબ્દ જુઓ. “આબાળ ગોપાળ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમયી ત્રિકાળી સ્વ જણાય છે.” જણાશે નહીં, જણાય છે.
પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, “ જાણનાર જ જણાય છે.” જુઓ જાણનાર “જ” જણાય છે. એ શબ્દ આવ્યો ને !? હજુ શબ્દમાં એ આવતો નથી. તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે, તેમ અજ્ઞાની પર સાથે એકત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. આ વાત ટંકોત્કીર્ણ છે. આ બોર્ડ કયારે બનાવ્યું હશે મેં!!
અને જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે જ હું છું.” આવ્યું ને? “ જાણનાર જણાય છે” મેં તમને કહ્યું હતું કે આ ગુરુદેવ કહે છે અને પોતે તો આ “ જાણનાર જણાય છે તે જ હું છું” એ પોતાનો અનુભવ લખ્યો. જ્ઞાયકને એકત્વપૂર્વક જાણતો માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો સમ્યકપ્રતિભાસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com