________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૧૫)
મુનિરાજનો ઉપદેશ સાંભળીને તે બધાં જીવો સમ્યગ્દર્શન પામ્યા; વાંદરાનો જીવ પણ સમ્યગ્દર્શન પામ્યો... ને મોક્ષમાર્ગે ચાલ્યો. અહા, એક વખતનો વાંદરો પણ આત્માને ઓળખવાથી ભગવાન બની ગયો. શાબાશ છે એને !
પછી તો તે બધા જીવો ત્યાંથી સ્વર્ગમાં ગયા; ને ચાર ભવ પછી રાજાનો જીવ તો ઋષભદેવ તીર્થંકર થયા, તે વખતે વાંદરાનો જીવ તેમનો પુત્ર થયો, તેનું નામ ગુણસેન. તેણે ભગવાન પાસે દીક્ષા લીધી, ને તે ભગવાનના ગણધર થયા. પછી કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
બંધુઓ, મુનિની ભક્તિથી ને આત્માને ઓળખવાથી એક વાંદરાનો જીવ પણ ભગવાન બની ગયો. તો આપણે પણ આત્મને ઓળખવો જોઈએ, ને મુનિઓની સેવા કરવી જોઈએ.
પહેલી વાર્તા કરી બીજી વાર્તા કરી ત્રીજી વાર્તા કરી ચોથી વાર્તા કરી
[વાર્તા પૂરી ]
-
=
—
એક હતું દેડકું. એક હતો વાંદરો.
એક હતો હાથી.
એક હતો સિંહ.
વાહ ભઈ વાહ! હાથી અને સિંહની વાર્તા તો અમને બહુ જ ગમે !
– તો ચોવીશ તીર્થંકરોનું મહાપુરાણ વાંચો.
એમાં એવી કેટલીયે વાર્તાઓ તેમજ ચિત્રો છે.
↓
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com