________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫)
TiIM
દારુ
દેડકું તો હાથીના પગ નીચે કચડાઈ ગયું ને મરી ગયું.... પરંતુ મરતાં મરતાંય ભગવાનની પૂજા કરવાની ભાવના એણે છોડી નહિ, એટલે એ ભાવનાથી મરીને તે દેડકાનો જીવ દેવ થયો.
આ બાજુ રાજા શ્રેણિક વૈભારપર્વત ઉપર મહાવીર પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા ને ભગવાનની શોભા દેખીને એને અપાર આનંદ થયો. અહા, ભગવાનની શોભાની શી વાત! ભગવાનની સભામાં ગૌતમ ગણધર અને હજારો મુનિઓ બેઠા છે; ચંદના સતી વગેરે છત્રીસ હજાર અજિંકા છે; લાખો શ્રાવક-શ્રાવિકા છે, ને અસંખ્ય દેવ-દેવી છે; સિંહ ને સસલાં, હાથી ને હરણ, વાંદરાં ને વાઘ, સર્પ ને મોર, એ બધાય બેઠા છે, ને ભગવાનની વાણી સાંભળે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com