________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૪૭ કરાવે છે. એ રીતે કુંવરથી ગુસપણે કુટુંબીજનોનું પાલન-પોષણ કરે છે.
એક દિવસ સુંદરીએ કહ્યું-માતા! તમે મારા માથાના વાળ ગૂંથી આપો. ત્યારે તે વૃદ્ધમાતાએ સંકોચથી કહ્યું કે તમે તો કોટિધ્વજના વધૂ છો અને અમે તો અત્યંત દરિદ્રી છીએ, તેથી તમારા મસ્તકને હાથ લગાડતાં મારો જીવ ચાલતો નથી.
વૃદ્ધમાતાની એ વાત સાંભળતાં જ મનોવતીની આંખમાં પાણી ઊભરાઈ આવ્યાં : તે વિચારવા લાગી કે અરે, લક્ષ્મી આ સંસારમાં કેવી બૂરી ચીજ છે! ! આ પ્રત્યક્ષ મારી સાસુ છે ને હું તેની પુત્રવધૂ છું; પરંતુ તેની સંપત્તિ નાશ થવાથી તે મારી સમીપ પણ આવી શકતી નથી. પછી માતાને કહ્યું કે તમે ચિન્તા ન કરો, ને મારું માથું ગૂંથી આપો.
ત્યારે તે માતા નજીક આવી ને વાળ ગૂંથવા માટે તેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com