________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૯ અને મનમાં વિચારવા લાગ્યો કે આ કુંવરને હું શું ઈનામ આપું? લક્ષ્મી વડે તો આ મોતીનાં મૂલ્ય થાય તેમ નથી; આ કુમાર સદ્ગુણી છે, માટે મારી પુત્રીને એની સાથે પરણાવું.આમ વિચારી રાજાએ પ્રીતિપૂર્વક કુંવરને એ વાત કરી. તરત પંડિતને બોલાવ્યા ને કુંવરને ચાંદલા કર્યા.
બુધસેનકુમારે ઘરે આવીને મનોવતીને એ વાત કરી. ત્યારે સુંદરીએ કહ્યું : સ્વામીનાથ! તમે રાજજમાઈ થયા એ તો સારું પણ મને વિસરી ન જશો. કુંવરે કહ્યું-દેવી! આ બધો તારી દર્શનપ્રતિજ્ઞાનો પ્રતાપ છે,-હું તને કેમ વિસરું!
- રાજાએ તો મંડપ સજાવ્યા ને ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન વખતે કુંવરને પહેરામણીમાં હાથી ને ઘોડા, સુવર્ણના કળશ ને ગજમોતીના હાર ઉપરાંત પોતાના રાજ્યનો ચોથો ભાગ આપ્યો; તથા ઉત્તમ મહેલ આપ્યો. મનોવતી પણ સુખપૂર્વક બીજા મહેલમાં રહેવા લાગી. તેની દર્શન-પ્રતિજ્ઞાના પુણ્યપ્રતાપે તક્ષણ આવું ફળ આવ્યું. તેથી અહીં કવિ કહે છે કે
तातें नरनार सुनीजे, नित दर्शन प्रतिज्ञा कीजे। जिनदर्श समान न कोई , यही सार जगतमें होई।।
મહાન જિનમંદિરનું નિર્માણ
બગીચામાં દેવે જે જિનાલય-રચના કરી હતી તેનું કામ પૂરું થતાં તે સંકેલી લીધી ને તે પોતાના સ્વર્ગમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com