________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૭
તેથી ભંડારી ગભરાઈ ગયો, તેનું મોઢું ઊતરી ગયું ને ભયથી તે થરથર કંપવા લાગ્યો. રાજસભામાં આવીને કહ્યું-મહારાજ! કોઈ ચોર મહેલમાં આવીને એ મોતી ચોરી ગયો છે.
રાજાને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો; કેમકે સજ્જડ ચોકી-પહેરા વચ્ચે રાજમહેલમાં આવીને કોઈ મોતી ચોરી શકે એ અશક્ય હતું. તેથી રાજાએ કહ્યું: ભંડારીજી! બીજો તો કોઈ ચોર મહેલમાં આવ્યો નથી, પણ એ મહા કિંમતી મોતી તમે જ ચોર્યું છે.–આમ કહીને ભંડારીને શૂળી પર ચડાવી દેવાનો હુકમ કર્યો.
તરત કુંવરે કહ્યું-મહારાજ! એની ભૂલચૂક ક્ષમા કરો; હું આપને એની જોડીનું બીજું મોતી લાવી આપીશ.-આ રીતે ભંડારીની રક્ષા કરી, તેથી આખી સભા કુંવરને ધન્ય-ધન્ય કહેવા લાગી. કુંવરે ઘરે આવીને મનોવતીને બધી વાત કરી ને બીજું મોતી આપવા કહ્યું. પણ મનોવતી કહે કે કાલે એનો ઉપાય કરીશું.
આ બાજુ રાજાએ તે મોતી ફરી ભંડારીને આપ્યું ને ખૂબ હોશિયારીપૂર્વક સાચવવાનું કહ્યું. ભંડારીએ ડબામાં મૂકી, તાળું દઈ, બરાબર પહેરા ગોઠવ્યા. પણ જ્યાં મધરાત થઈ ત્યાં પહેલાંની જેમ સડસડાટ કરતું તે મોતી ઉડયું... ને સુંદરી પાસે રહેલા બીજા મોતીની પાસે આવી ગયું.
સવાર પડી... ભક્તિભાવથી જિનેન્દ્રભગવાનનાં દર્શનપૂજન કર્યાં. પછી બુધસેનકુમાર રાજદરબારમાં જવા તૈયા૨ થયો ત્યારે મનોવતીએ નર અને માદા બંને મોતીની જોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com