________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૩૧ દેવલોકમાં પ્રશંસા, પ્રતિજ્ઞાનું પાલન પહેલા સ્વર્ગમાં સૌધર્મ ઇન્દ્ર બિરાજે છે, તેની અનુપમ સભા ભરાણી છે, બધા દેવો બેઠા છે ને ધર્મગોષ્ઠી કરે છે. ત્યાં ઇન્દ્રમહારાજે પોતાના અવધિજ્ઞાનમાં પૃથ્વી પર બની રહેલી ઉપરની ઘટના જાણી; અને દેવોને સંબોધીને કહ્યું- હે દેવી! મારી વાત સાંભળો : મધ્યલોકમાં જૈનધર્મની પરમ ભક્ત એક નારી છે, તેણે જિનદર્શનની એવી પ્રતિજ્ઞા લીધી છે કે ગજમોતી વડે જિનેન્દ્રભગવાનને પૂજીને પછી જ ભોજન કરવું
-પણ કોઈ પૂર્વકર્મના ઉદયથી તેના પતિ બુધસેનને ઘરમાંથી કાઢી મૂક્યો છે; તે હસ્તિનાપુર ગયો ને ત્યાંથી રત્નપુર ગયો છે, તેની પતિવ્રતા નારી મનોવતીએ તેનો સંગ છોડ્યો નથી; તેઓ બંને અત્યારે રત્નપુરના બાગમાં બેઠાં છે, તેમની પાસે કાંઈ સાધન નથી. એની પાસે ગજમોતી ક્યાં છે કે જે લઈને ભગવાનના દર્શન કરે! એને અન્નગ્રહણ કર્યા વગર આજ સાત દિવસ વીત્યા. એના ભરથારને તો ખબર પણ નથી કે મનોવતી ભોજન કરે છે યા નહીં ? એ નારીનો પ્રાણ કઠે આવી ગયો છે તો પણ તે ધીરજ છોડતી નથી, પ્રતિજ્ઞાથી ડગતી નથી; પ્રાણ જાય તો ભલે જાય પણ જિનદર્શનની ઉત્તમ પ્રતિજ્ઞાને તે છોડવાની નથી. જો આમ ને આમ એના પ્રાણ છૂટી જશે તો લોકોને ધર્મની શ્રદ્ધા ઓછી થઈ જશે ને ફરીને કોઈ પ્રતિજ્ઞા નહિ કરે; માટે જિનધર્મની પ્રભાવના વધે એવો પ્રયત્ન આપણે કરવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com