________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૧ ધારણ કર્યું. તેણે ભોજન ન કર્યું, તેમ જ પોતાના મનનું રહસ્ય પણ પ્રગટ ન કર્યું.
સાસુએ ઘણું કહેવા છતાં મનોવતીએ ભોજન ન કર્યું. ઘણો સમય વીતી જવા છતાં તેણે ભોજન ન કર્યું તેથી સાસુ ત્યાંથી શેઠ પાસે ગઈ અને કહેવા લાગી-હે સ્વામી! આ વહુએ મૌન ધાર્યું છે, તે ભોજન કરતી નથી અને કાંઈ ખુલાસો કરતી નથી, તો આનું કારણ છે? ને હવે શું કરવું? તેનો વિચાર કરો.
ત્યારે શેઠ બોલ્યા-એની સાથે કાંઈ હઠ ન કરવી. એ તો ભોળી અણજાણ લડકી છે, ને અહીં સાસરે તે સંકોચાય છે; જ્યારે તેનો સંકોચ મટશે ત્યારે તે જરૂર ભોજન કરશે.
આ તરફ મનોવતી તો પોતાના વ્રતમાં દઢ છે, ને હૃદયમાં પંચનમસ્કારમંત્રને જપે છે; અન્નનો ત્યાગ કરીને અંતરમાં જિનવરદેવનું રટણ કરે છે. એક દિવસ એમ ને એમ વીતી ગયો ને બીજો દિવસ આવ્યો. સાસુ ફરીને તેની પાસે આવી ને કહેવા લાગી કે-વહુ, ઊઠો ! અને ભોજન કરો; હવે આ સંકોચ છોડીને બધાની સાથે જમો.
ત્યારે મનોવતીએ કાંઈ જવાબ ન આપ્યો, અને બીજો દિવસ પણ એમ ને એમ ભોજન વગર વીતી ગયો.
આથી શેઠે વિચાર કરીને બધાને કહ્યું કે આપણે એક ઉપાય કરો.-મનોવતી ભોજન ન કરે તો આપણે સમસ્ત પરિવાર પણ ભોજન છોડી દો, જેથી તરત સાચી વાત જણાઈ જશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com