________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૫ આ આવડા મોટા વૈભવને છોડ છે, તો અમારી પાસે તો શું વૈભવ છે! અલ્પ વૈભવને અમે સરળપણે છોડશું. -એમ વિચારીને સાધારણ સ્થિતિના પણ અનેક જીવોએ વરાંગની સાથે જ દીક્ષા લીધી. બધાયની આંખોમાંથી વૈરાગ્યરસ ઝરતો હતો. પોતાના કલ્યાણનો આવો સુઅવસર પામીને સૌનું ચિત્ત પ્રસન્ન હતું.
સૌએ જોયું કે, રાજા” –વરાંગ કરતાં નવ દીક્ષિત વરાંગ “મુનિ' -વધુ શોભતા હતા. તેમનું મુનિ-રૂપ દખીને સૌ આશ્ચર્ય પામતા... પરમ ભક્તિપૂર્વક એ મુનિરાજને
વંદન કરીને નગરજનો ઉદાસચિત્તે નગરીમાં પાછા ફર્યા. વરાંગ વગરની નગરી સૂનીસૂની લાગતી હતી. અનેક દિવસ સુધી કોઈનું ચિત્ત વેપાર-ધંધામાં કે સંસારકાર્યમાં લાગતું ન હતું. ચારેકોર વૈરાગ્યપૂર્વક ધર્મચર્ચા ચાલી રહી હતી.
બીજી તરફ વનમાં, મુનિ અને અજિંકા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com