SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૫ આ આવડા મોટા વૈભવને છોડ છે, તો અમારી પાસે તો શું વૈભવ છે! અલ્પ વૈભવને અમે સરળપણે છોડશું. -એમ વિચારીને સાધારણ સ્થિતિના પણ અનેક જીવોએ વરાંગની સાથે જ દીક્ષા લીધી. બધાયની આંખોમાંથી વૈરાગ્યરસ ઝરતો હતો. પોતાના કલ્યાણનો આવો સુઅવસર પામીને સૌનું ચિત્ત પ્રસન્ન હતું. સૌએ જોયું કે, રાજા” –વરાંગ કરતાં નવ દીક્ષિત વરાંગ “મુનિ' -વધુ શોભતા હતા. તેમનું મુનિ-રૂપ દખીને સૌ આશ્ચર્ય પામતા... પરમ ભક્તિપૂર્વક એ મુનિરાજને વંદન કરીને નગરજનો ઉદાસચિત્તે નગરીમાં પાછા ફર્યા. વરાંગ વગરની નગરી સૂનીસૂની લાગતી હતી. અનેક દિવસ સુધી કોઈનું ચિત્ત વેપાર-ધંધામાં કે સંસારકાર્યમાં લાગતું ન હતું. ચારેકોર વૈરાગ્યપૂર્વક ધર્મચર્ચા ચાલી રહી હતી. બીજી તરફ વનમાં, મુનિ અને અજિંકા Please inform us of any errors on [email protected]
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy