________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૯
પ્રભુને મહાઆનંદથી ભેટી પડી... પોતે જ પોતાનો પ્રભુસ્વરૂપે સ્વાનુભવ કર્યો.
હું આત્મશોધક મુમુક્ષુ તું પણ ગભરાયા વગર તારા ચૈતન્યને શોધ... તે તને તરત જ અવશ્ય મળશે....આ જે રાગ-દ્વેષ-મોહ દેખાય છે તે તેની જ છાયા છે... કેમ કે ચૈતન્યપ્રભુના અસ્તિત્વ વગર રાગદ્વેષભાવો સંભવતા નથી.-માટે જે પ્રદેશમાંથી એ રાગદ્વેષમોહ ઊઠે છે તે જ પ્રદેશમાં તારો ચૈતન્યપ્રભુ બિરાજી રહ્યો છે... રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના હાથમાં છે તેની પાસે જા... તે જ તારો ચૈતન્યપ્રભુ છે... રાગાદિનો પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારો પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યો છે... એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ... ચૈતન્યગુફામાં
આ પ્રભુ પ્રગટ બિરાજી રહ્યો છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને ધારણ કરી રહ્યો છે... તેને દેખતાં-ભેટતાં મહાન સુખ થશે.
અહા, મારા ચૈતન્યપ્રભુ મને મળ્યા...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com