________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭) : જૈનધર્મની વાર્તાઓ દર્શન કરવા આવી પહોંચ્યા. રામ-લક્ષ્મણ ઉપર તેઓ પ્રસન્ન થયા ને આદરપૂર્વક કહ્યું. આ બન્ને મુનિઓ મારા પૂર્વભવના પુત્રો છે, તમે તેમની ભક્તિ કરી ઉપસર્ગ દૂર કર્યો તે દેખીને હું ઘણો પ્રસન્ન થયો છું. માટે તમે જે માંગો તે હું આપું! ત્યારે રામે કહ્યું-કોઈવાર અમારા ઉપર સંકટ આવે તો તે વખતે અમારી સંભાળ લેજો. તે વચન પ્રમાણ કરીને ગરુડેન્ટે કહ્યું-ભલે, હું તમારી પાસે જ છું.
કેવળીભગવાનની વાણી સાંભળીને અનેક જીવો ધર્મ પામ્યા. રાજા અને પ્રજાજનો નગરીમાં પાછા ફર્યા, ને આનંદનો ઉત્સવ કર્યો. કેવળજ્ઞાનના પ્રતાપે સર્વત્ર આનંદ-મંગળ છવાઈ ગયા. ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ રામચંદ્રજી આ જ ભવે મોક્ષ પામશે.
“શ્રી રામચંદ્ર-બળભદ્ર તદ્દભવ મોક્ષગામી છે” એમ કેવળીપ્રભુની વાણીમાં સાંભળીને લોકોએ તેમનું ઘણું સન્માન કર્યું. મુનિવરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી તે ભૂમિને મહા તીર્થરૂપ સમજીને રામ-લક્ષ્મણ-સીતા કેટલાક દિવસ ત્યાં જ રહ્યા, ને મહાન ઉત્સવપૂર્વક પર્વત પર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com