________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧ [ ૩૯-૪૦]. સગર-ચક્રવર્તી અને ૬૦ હજાર
રાજકુમારોનો વૈરાગ્ય * *
(જીવને ધર્મમાં મદદ કરે તે સાચો મિત્ર)
આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવ થયા; તેમના પુત્ર ભરત પહેલા ચક્રવર્તી થયા; ત્યારબાદ બીજા તીર્થકર અજિતનાથ થયા; ને પછી સગર” નામના બીજા ચક્રવર્તી થયા. તેમની આ વાત છે.
તે સગર ચક્રવર્તી પૂર્વભવે વિદેહક્ષેત્રમાં જયસેન નામના રાજા હતા; તેને પોતાના બે પુત્રો ઉપર ઘણો જ સ્નેહ હતો; તેમાંથી એક પુત્રનું મરણ થતાં તે રાજા શોકથી મૂછિત થઈ ગયા; ને પછી શરીરને દુઃખનું જ ઘર સમજીને જન્મ-મરણથી છૂટવા માટે દીક્ષા લઈને મુનિ થયા; તેમના સાળા મહારૂતે પણ તેમની સાથે દીક્ષા લીધી; બીજા હજારો રાજાઓ દીક્ષા લઈને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com