________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૧ તેની માતા હતી. અરેરે, મારા પુત્રને હું ખાઈ ગઈ ! – એમ પશ્ચાત્તાપથી તે વાઘણ રડવા લાગી, તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.
તે પ્રસંગે કીર્તિધરમુનિએ વાઘણને ઉપદેશ આપ્યો કે અરે વાઘણ ! (સહદેવી!) જે પુત્રના પ્રેમની ખાતર તું મૃત્યુ પામી, તે જ પુત્રના શરીરનું તેં ભક્ષણ કર્યું? અરેરે, મોહને ધિક્કાર છે. હવે તું આ અજ્ઞાનને છોડ, કૂરભાવોને છોડ ને આત્માને સમજીને કલ્યાણ કર!
મુનિનો ઉપદેશ સાંભળીને તરત જ તે વાઘણ ધર્મ પામી, તેણે આત્માને ઓળખ્યો ને માંસભક્ષણ છોડી દીધું પછી વૈરાગ્યથી સંન્યાસ ધારણ કર્યો ને મરીને દેવલોકમાં ગઈ.
શ્રી કીર્તિધર મુનિ પણ કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
(રાજા રઘુ અને રામ વગેરે મહાપુરુષો પણ આ કીર્તિધર રાજાના વંશમાં જ થયા.)
પાઠકો ! ધર્માત્મા-જ્ઞાનીઓનું જીવન કેવું વૈરાગ્ય ભરેલું હોય છે તે આ કથા ઉપરથી સમજજો; અને આત્માની સમજણ કરીને એવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com