SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૧ તેની માતા હતી. અરેરે, મારા પુત્રને હું ખાઈ ગઈ ! – એમ પશ્ચાત્તાપથી તે વાઘણ રડવા લાગી, તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે પ્રસંગે કીર્તિધરમુનિએ વાઘણને ઉપદેશ આપ્યો કે અરે વાઘણ ! (સહદેવી!) જે પુત્રના પ્રેમની ખાતર તું મૃત્યુ પામી, તે જ પુત્રના શરીરનું તેં ભક્ષણ કર્યું? અરેરે, મોહને ધિક્કાર છે. હવે તું આ અજ્ઞાનને છોડ, કૂરભાવોને છોડ ને આત્માને સમજીને કલ્યાણ કર! મુનિનો ઉપદેશ સાંભળીને તરત જ તે વાઘણ ધર્મ પામી, તેણે આત્માને ઓળખ્યો ને માંસભક્ષણ છોડી દીધું પછી વૈરાગ્યથી સંન્યાસ ધારણ કર્યો ને મરીને દેવલોકમાં ગઈ. શ્રી કીર્તિધર મુનિ પણ કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા. (રાજા રઘુ અને રામ વગેરે મહાપુરુષો પણ આ કીર્તિધર રાજાના વંશમાં જ થયા.) પાઠકો ! ધર્માત્મા-જ્ઞાનીઓનું જીવન કેવું વૈરાગ્ય ભરેલું હોય છે તે આ કથા ઉપરથી સમજજો; અને આત્માની સમજણ કરીને એવું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy