________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૩૯
[૪૨] વાઘણનો વૈરાગ્ય
કીર્તિધર-મુનિ પાસે સુકોશલ-પુત્રે દીક્ષા લઈ લીધી, તેથી તેની માતા સહદેવીને ઘણો આઘાત લાગ્યો. પિતા અને પુત્ર બન્ને મુનિ થઈ ગયા; આથી તીવ્ર મોહને લીધે સહદેવીએ તે મુનિધર્મની નિંદા કરી... ધર્માત્માનો અનાદર કર્યો... ને ક્રૂર પરિણામ કરીને આર્તધ્યાન કરતાં કરતાં તે મરી; મરીને વાઘણ થઈ...
અરે, જેના પતિ મોક્ષગામી, જેનો પુત્ર પણ મોક્ષગામી, એવી તે સહદેવી, ધર્મ અને ધર્માત્માનો તીરસ્કાર કરવાથી વાઘણ થઈ... બંધુઓ, જીવનમાં કદી ધર્મ કે ધર્માત્મા પ્રત્યે અનાદર ન કરશો, તેની નિંદા ન કરશો.
હવે વાઘણ થયેલી તે રાજમાતા, એક જંગલમાં રહેતી હતી; જીવોની હિંસા કરતી હતી, ને અત્યંત દુઃખી થતી હતી... એને કયાંય ચેન પડતું ન હતું.
એવામાં, જે જંગલમાં તે વાઘણ રહેતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com