________________
Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates
૩૬ : જૈનધર્મની વાર્તાઓ
તારા પિતાએ તને રાજ્ય સોંપીને જિનદીક્ષા લીધી છે.
-આમ ધાવમાતાએ કહ્યું; તે સાંભળતાં જ સુકોશલકુમાર આશ્ચર્ય પામ્યો; અરે, આ તો મારા પિતાજી! એ ભિખારી નથી પણ ભગવાન છે. મહાભાગ્યે આજે મને તેમનાં દર્શન થયા. –એમ કહેતો તે રાજકુમાર, માથે મુગટ કે પગમાં પાવડી પણ પહેર્યા વગર, ઉઘાડે માથે ને ઉઘાડે પગે નગર બહાર મુનિરાજ તરફ દોડયો... પિતા પાસેથી ધર્મનો વારસો લેવા દોડયો... જાણે કે સંસારનાં બંધન તોડીને મુક્તિ તરફ દોડતો હોય ! –એમ મુનિરાજ પાસે પહોંચ્યો... ને તેમના ચરણોમાં નમી પડયો... આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પિતાજી! ક્ષમા કરો... પ્રભો ! મેં આપને ઓળખ્યા નહિ. હવે મને આ સંસારબંધનથી છોડાવો...
શ્રી કીર્તિધર મુનિરાજે કહ્યું: હે વત્સ ! આ અસાર સંસારમાં બધા સંયોગ ક્ષણભંગુર છે; તેના ભરોસે શું રહેવું ? આ સારભૂત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com