________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ
1.
જૈનધર્મની વાર્તાઓ : ૨૧ પ્રમાણે બોલી નાખ્યું. અથવા, “શુકનથી શબ્દ આગળા” એ ઉક્તિ-અનુસાર વજકુમારના ઉત્તમ ભવિતવ્યથી પ્રેરાઈને તેને વૈરાગ્ય જગાડનારા શબ્દો નિમિત્તપણે આવી ગયા....)
- ઉદયસુંદરની વાત સાંભળતાં જ મુમુક્ષુ વીર વજબાહુકુમારના મુખમાંથી વજવાણી નીકળી: બસ ત્યારે, હું તૈયાર છું... અત્યારે જ હું આ મુનિરાજની સમીપમાં જઈને મુનિદીક્ષા અંગીકાર કરીશ. આ સંસાર અને ભોગોથી ઉદાસ થઈને મારું ચિત્ત હવે મોક્ષમાં ચોટયું છે. તો સંસાર કે સંસાર તરફના ભાવ હવે સ્વપ્નેય મારે જોઈતા નથી. હું તો હવે મુનિ થઈશ ને અહીં વનમાં જ રહીને મોક્ષને સાધીશ.
પર્વત ઉપર વજ પડે તેમ વસુબાહુના શબ્દો સાંભળતાં જ ઉદયસુંદર ઉપર જાણે વજ પડ્યું! તે તો ડઘાઈ જ ગયો! –અરે આ શું થયું !
વજકુમાર તો મક્કમ ચિત્તે હાથી ઉપરથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com