________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯]
અરી. સો (ભરત ચક્રવર્તીએ એક વાર ઉપવાસ કર્યો હતો અને પોતાની રાણીઓ સાથે ધર્મચર્ચા કરીને તેમને આત્મજ્ઞાનની વાત સમજાવતા હતા.. અરીસાનું દષ્ટાંત આપીને રાગથી ભિન્ન આત્મસ્વરૂપ દેખાડતા હતા.)
એક સુંદર મજાનો સ્વચ્છ અરીસો છે. પણ તેના ઉપર ગારો ચોપડીને કોઈ જુએ, તો શું તેને અરીસામાં મોઢું દેખાશે?-ના.
અરીસા ઉપર ગારાને બદલે ચંદનનો લેપ લગાડીને કોઈ જુએ તો શું તેને મોટું દેખાશે?-ના.
ગારો કે ચંદન, બન્ને લેપ છે-આવરણ છે, તે બન્નેથી રહિત શુદ્ધ અરીસામાં જાઓ, તો જ મોટું દેખાય.
તેમ આ આપણો આત્મા જગતપ્રકાશી સ્વચ્છ ચૈતન્ય-અરીસો છે; તેના ઉપર પાપનો ગારો ચોપડીને કોઈ જુએ તો તેને પોતાનું સાચું સ્વરૂપ દેખાય નહિ.
ચૈતન્ય-અરીસા ઉપર પાપને બદલે પુણ્ય-રાગનો લેપ લગાડીને કોઈ જુએ તો તેને પણ આત્માનું સાચું સ્વરૂપ દેખાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com