________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] ગુરુદેવ પૂછે છે-“સોનાનો ભાવ ?” [ વાત છે વીર સં. ૨૪૯૫ ના કારતક વદ ચોથની]
તે દિવસે ચર્ચાની શરૂઆતમાં જ ગુરુદેવે કહ્યું: મારે એક પ્રશ્ન પૂછવો છે!
સભાજનો આશ્ચર્યથી પ્રશ્ન સાંભળવા આતુર બન્યા, કે ગુરુદેવ શું પૂછશે?
ત્યાં તો ગુરુદેવે પૂછ્યું-સોનાના “ભાવ” શું છે? ઘડીભર તો સૌ વિચારમાં પડી ગયા.
એક શ્રોતાએ જવાબ આપ્યો-સોનાના ભાવ હમણાં શું ચાલે છે તે ખબર નથી.
બીજા ભાઈ કહે કે આજે છાપામાં ભાવ વાંચ્યા
નથી.
ત્રીજા ભાઈ બોલ્યાઃ હમણાં સોનાનો ભાવ એક તોલાના ૧૨૫ રૂા. છે.
ગુરુદેવ કહે-સોનાનો ભાવ તો સોનામાં હોય, સોનાનો ભાવ કાંઈ સોનાથી જુદો ન હોય.
સોનાનાં રજકણોમાં જે વર્ણગંધ-રસ સ્પર્શ છે તે જ સોનાનો ભાવ છે. “ભાવ” એટલે વસ્તુના ગુણ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com