________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫) : જૈન ધર્મની વાર્તાઓ
જલબિંદુએ પથ્થરના તિરસ્કાર કે ઉપહાસને ન ગણકારતાં પોતાનું ટપકવાનું કાર્ય ચાલુ જ રાખ્યું.
કેટલાક સમય પછી, પથ્થરના આશ્ચર્ય વચ્ચે એ જલબિંદુએ એ વજસમાં દેહવાળા પથ્થરની છાતી પર એક ખાડો પાડી દીધો. પથ્થરનું અભિમાન ગળી ગયું. તેણે જલબિંદુને તેના કાર્યની સફળતાનું રહસ્ય પૂછયું. જલબિંદુ તરફથી પથ્થરને જે જવાબ મળ્યો તે આ હતો:
ભાઈ, આમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. કોઈપણ ધ્યેયને સિદ્ધ કરવા માટે જરૂર છે-એકાગ્રતાની અને આત્મવિશ્વાસની. ભયને ગણકાર્યા વિના, અસફળતાઓની શંકાઓથી ડગ્યા વિના, જે કોઈ ધ્યેયસિદ્ધિને માટે એકાગ્રચિત્તે, આત્મ-વિશ્વાસપૂર્વક કાર્ય કરતા રહે છે તે ગમે તેવાં કઠિન કાર્યને પણ પાર પાડી શકે છે.”
તે દિવસે પથ્થરને સફળતાનું રહસ્ય જાણવા મળ્યું. એકાગ્રતા અને આત્મવિશ્વાસથી કઠિન કાર્ય પણ પાર પાડી શકાય છે. –સફળતાની આ ચાવી પથ્થરના હૈયા પર કોતરાઈ ગઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com