________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૪૪ : જૈન ધર્મની વાર્તાઓ
સરસ દેવ-ગુરુ મળ્યા છે! કેવો સરસ માર્ગ મળ્યો છે! ને અંદર કેવો મજાનો સુંદર આત્મા બિરાજી રહ્યો છે! જગતમાં આવો સરસ યોગ મળ્યો, પછી હવે ખેદ કરવાનું કયાં રહે છે? ખેદની ટેવ છોડો... ને મહાન ઉલ્લાસથી, શાંતભાવે તમારા આનંદધામમાં જાઓ. તમારું જીવન અપૂર્વ ચેતનવતું બની જશે.
હઠાગ્રહ છોડ દો... સાધર્મી પ્રેમ જોડ દો !’
આપણે વ્યવહારકુશળ ગણાતા જૈન લોકો, લાખો રૂપીયાના ખર્ચે કેસ લડીલડીને કોઈ જૈનેતર ન્યાયધીશ દ્વારા આપણા તીર્થો બાબતમાં અપાતા ફેંસલાને માનવા તૈયાર છીએ.
"
પરંતુ આશ્ચર્ય છે કે, આપણા જ શાસન-નાયક વીરનાથ ભગવાનના નામ પર એકબીજા હળી-મળીને કોઈ સુયોગ્ય સર્વહિતકારી સમાધાન હજી પણ નથી કરી શકતા!
બસ, હવે તો અવસર આવી ગયો છે. –વીતરાગતા જ સૌથી શ્રેષ્ઠ ન્યાય છે'-જે આપણા મહાવીર ભગવાને આપણને શીખડાવ્યો છે. આપણે તે શીખીશું અને રાગ-દ્વેષ છોડીને પરસ્પર પ્રેમથી હળીમળીને વીતરાગમાર્ગમાં આગળ વધીશું. -બસ, આપણે આટલું કરશું જ કરશું.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com