________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [૧૧] વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યની વૃદ્ધિ
ઘડપણમાં શરીર કામ કરતું ન હોય, પ્રતિકૂળતા હોય, સેવા કરનાર કોઈ ન હોય તોપણ... બાપુ! તમે ગભરાશો મા! મારું કોઈ નથી એમ હતાશ થશો મા ! તમારા જીવનના ઉત્તમ સંસ્કારોની મોંઘી મૂડી તમારી પાસે જ છે. અંતિમ જીવનની તમારી ઉત્તમ ભાવનાઓ જ તમને શાંતિ આપનાર છે. માટે તેના ઉપર જ જોર આપો.
શરીરનું મમત્વ તો છોડવાનું છે. મમત્વ રાખવા જેવું શરીરમાં છે ય શું? તો એવા શરીરની સેવા કરનાર કોઈ હો... ન હો, તેની શી ચિંતા ! આત્માની ચિંતા કરો કે જેથી તેનું ભવિષ્ય ઉત્તમ બને.
જુવાનીમાં પણ જે ન થઈ શકયું તે શૂરવીર થઈને અત્યારે કરી લ્યો. શૂરવીર આત્માની શુરવીરતાને વૃદ્ધાવસ્થા કાંઈ ઢીલી કરી શકતી નથી.
હૃદયમાં જિનભક્તિ કરો... પંચપરમેષ્ઠીને યાદ કરો... મુનિપદની ભાવના કરો... શરીરની ક્ષણભંગુરતા અને આત્માની નિત્યતા વિચારીને વૈરાગ્યની ઉત્તમ ભાવનાઓ કરો.. બસ, તમને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com