________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ પ૧ ઉ. બે - ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. ૨૨૧ પ્ર. ઉચ્ચ ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય. ૨૨૨ પ્ર. નીચ ગોત્રકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી નીચ કુળમાં જન્મ થાય. ૨૨૩ પ્ર. અન્તરાય કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ દાનાદિક કરવામાં વિદ્ગ નાંખે. ૨૨૪ પ્ર. અન્તરાય કર્મના કેટલા ભેદ છે?
ઉ. પાંચ. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય; દરેકનો અર્થ એ કે દરેકમાં વિધ્ર નાંખે. ૨૨૫ પ્ર. પુણ્ય કર્મ કોને કહે છે?
ઉ. જે જીવને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે. ૨૨૬ પ્ર. પાપ કર્મ કોને કહે છે?
ઉ. જે જીવને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com