________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૭
૭૧ પ્ર. પ્રાગભાવ કોને કહે છે?
ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ તેને પ્રાગભાવ કહે છે.
૭૨ પ્ર. પ્રધ્વંસાભાવ કોને કહે છે?
ઉ. આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયના અભાવને પ્રસાભાવ કહે છે.
૭૩ પ્ર. અન્યોન્યાભાવ કોને કહે છે ?
ઉ. પુદ્દગલદ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા પુદ્દગલના વર્તમાન પર્યાયના અભાવને અન્યોન્યાભાવ કહે
છે.
૭૪ પ્ર. અત્યન્તાભાવ કોને કહે છે ?
ઉ. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને અત્યન્તાભાવ કહે છે.
અનુજીવી ગુણ
૭૫ પ્ર. જીવના અનુજીવી ગુણ કયા કયા છે ?
ઉ. ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોક્તત્વ, વગેરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com