SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates नमः श्रीमद्-योगीन्दुदेवाय। नमः श्रीकहानगुरुदेवाय। ઉપોદ્યાત वीर-हिमाचलते निकरी, गुरु गौतमके मुखकुण्ड ढरी है। मोह-महाचल भेद चली, जगकी जडतातप दूर करी है।। આપણા આ ભરતક્ષેત્રની પ્રવર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકરદેવ ૧OO૮ પરમપૂજ્ય શ્રી મહાવીરસ્વામીરૂપ હિમાચલની ગંગોત્રીમાંથી વહેલ શુદ્ધાત્માનુભૂતિપ્રધાન જિનશાસનના બીજભૂત અધ્યાત્મજ્ઞાનગંગાનો પુનિત પ્રવાહ પ્રધાન ગણધર શ્રી ગૌતમસ્વામી દ્વારા સૂત્રબદ્ધ થયો, અને ગુરુપરંપરા દ્વારા તે પ્રવાહ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયો. મિથ્યાત્વને રાગદ્વેષરૂપ મોટા પહાડોને ભેદીને જગતના ભવ્ય જીવોની જડતા અર્થાત્ અજ્ઞાન તેમ જ આપને દૂર કરનાર તે પાવન પ્રવાહને શ્રી કુંદકુંદાચાર્યદવે, સમયસાર વગેરે પ્રાભૃતભાજનોમાં ભરીને, ચિરંજીવી કર્યો. ઉત્તરવર્તી આચાર્યો કે વિદ્વાનોએ જે અધ્યાત્મપ્રમુખ ગ્રંથરચનાઓ કરી છે તેમાં પ્રાય: સર્વત્ર કુંદકુંદાચાર્યદેવની કૃતિઓની તેજસ્વી આભાનાં પુનિત દર્શન થાય છે. અધ્યાત્મવિષયના ઉત્તરવર્તી ગ્રંથકારો પૈકીના એક, મહાન અધ્યાત્મયોગી શ્રી યોગીન્દુદેવ દ્વારા પ્રણીત પરમાત્મપ્રકાશ” ને “યોગસાર” વગેરે ગ્રંથોમાં પણ ભગવાન કુંદકુંદાચાર્યદવ પ્રણીત અધ્યાત્મરચનાની કલ્યાણી છાયા જ દષ્ટિગત થાય છે. હું પરમાત્મા નામના આ પ્રવચનગ્રંથમાં શ્રીમદ્યોગીન્દુદેવ પ્રણીત યોગસાર” ઉપરનાં, અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં સરળ, સુગમ તેમ જ ભાવવાહી પ્રવચનોનું સંકલન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. યોગસાર” માં યોગ” નો અર્થ “જોડાણ' છે. આત્માનું પોતાના ત્રિકાળ શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ સાથે પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ વડે “જોડાણ' થવું તેનું નામ “યોગ” છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ વડ જોડાણ” થવું તેનું નામ યોગ” છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ આ યોગ, વિપરીતતા તેમ જ રાગાદિના વિકલ્પ રહિત હોવાથી, સ્વયમેવ “સાર' અર્થાત ઉત્તમ છે. “યોગસાર' માં ગ્રંથકારે ૧૦૮ દોહરામાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપે આત્માના વર્ણનનો પ્રારંભ કરીને અપભ્રંશભાષામાં સરળ અને સાદી શૈલીથી અધ્યાત્મતત્ત્વનો સુંદર પ્રકાશ કર્યો છે. અધ્યાત્મસાગરને “યોગસાર” રૂપ ગાગરમાં સંક્ષેપનાર ગ્રંથપ્રણેતા જેવા મહાન છે તેવા જ વિશિષ્ટ, તે ગાગરને પ્રવચનસાગરમાં વિસ્તારનાર તેના પ્રવચનકાર છે. યોગસાર” ના પ્રવચનકાર પરમોપકારી પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી શુદ્ધાત્મદષ્ટિવંત, સ્વરૂપાનુભવી, વીતરાગ Please inform us of any errors on [email protected]
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy