________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત )
તારવા
સંસારસાગર જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ )
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર–વી-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી )
સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત )
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વર્ષે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં–અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા )
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હૈ જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
(સ્રગ્ધરા )
ઊંડી ઊંડી, ઊંડેથી સુનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિન્મુર્તિ ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com