________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૩
પરમાત્મા]
ઉદયભાવ, પંચ તપ-આચારના જે વ્યવહારના વિકલ્પો તેના રૂપે પ્રભુ થાય છે?-કે એ વિકલ્પો પ્રભુરૂપે થાય છે? ન થાય ભાઈ, ન થાય. અરે પ્રભુ! તું ક્યાં છો ?-એ જરીક જો તો ખરો! જ્યાં તું છો ત્યાં વિકાર નથી ને વિકાર છે ત્યાં તું નથી. પુણ્ય-પાપના વિકલ્પોની વિભાવદશામાં સચ્ચિદાનંદ પ્રભુ નથી અને એ વિભાવો સ્વભાવરૂપે ત્રણકાળમાં થઈ શકતા નથી.
પુણ્ય-પાપના આસ્રવના ભાવ અને કર્મ શરીર અજીવભાવ, એ આસ્રવભાવ ને અજીવભાવ સ્વભાવરૂપે થતાં નથી અને ચૈતન્યગોળો ધ્રુવ અનાદિ અનંત સત્ત્વ ભગવાન આત્મા પોતે આસ્રવરૂપે-અજીવરૂપે થતો નથી. અજીવ, આસ્રવ ને આત્માત્રણ તત્ત્વ નિરાળા છે ને ! તેથી કર્મ શરીર ને વાણી એ અજીવ અને અંદર જે શુભાશુભભાવ ઊઠે તે આસ્રવ, તેમાં કાંઈ આત્મા ન આવે. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામમાં આત્મા ન આવે ને એ આસ્રવભાવો આત્મારૂપે થાય નહીં. તેથી આત્મારૂપે થયા વિના એ આસવભાવો આત્માને લાભ કેમ કરી શકે ?
એમ જાણીને, એવું જ જ્યાં સ્વરૂપ છે કે જ્ઞાનસૂર્ય પ્રભુ કદી અજીવરૂપે થતો નથી ને આસ્રવરૂપે થતો નથી તથા અજીવ અને આગ્નવો જીવરૂપે થતાં નથી-એમ સત્ય સમજીને હે જીવ! તું અપનકો પહિચાન. ભગવાન ચૈતન્યસૂર્ય પ્રભુ તરફ તું જો. તું યથાર્થ આત્માનો બોધ કર. શુદ્ધ સ્વરૂપ ભગવાન તરફનો ઝૂકાવ કરીને તું જો કે આ આત્મા એકલો જ્ઞાનનો સાગર આનંદની મૂર્તિ છે.-એમ આત્માને જાણ.
પરની દયા પાળી શકું છું, પરના કામ કરી શકું છું-એમ કહેનારને પોતાના સિવાયની પર ચીજ જુદી નથી; એ અને હું બન્ને એક છીએ માટે હું પરના કામ કરી શકું છું, પણ બાપુ! તું જુદો ને એ જુદા. ત્યાં એની દયા કોણ પાળે? જે જુદા પદાર્થ છે એની જુદી અવસ્થાને બીજો શી રીતે કરે ? શરીર, કર્મ, કુટુંબ, દેશ-એ તો પરવસ્તુ છે; તો એ પરના કામ તું કરી શકે છો? જો તું પરના કામ કરી શકતો હો તો બે એક થઈ ગયા, તેથી પોતાનું સત્ત્વ નાશ થઈને તું પરરૂપે થઈ ગયો-એમ તે માન્યું !
તેથી હે જીવ! આમ સમજીને તું અપને આત્માકો પહિચાન, યથાર્થ આત્માનો બોધ કર. ૧૧.
આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છે. આત્માના ભાનવાળાની જ મુક્તિ થાય છે. આત્માના ભાન વિનાનાને સંસારમાં રખડવું થાય છે. એમ બન્ને વાત અહીં કહે છે:
अप्पा अप्पउ जइ मुणहि तो णिव्वाणु लहेहि। पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ।।१२।। નિજને જાણે નિજરૂપ, તો પોતે શિવ થાય;
પરરૂપ માને આત્મને, તો ભવભ્રમણ ન જાય. ૧૨. જો આત્માને આત્મા સમજશે એટલે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ જ્ઞાતાદષ્ટા છે તે જ મારું સ્વરૂપ છે ને તે જ હું આત્મા છું-એમ આત્માને પોતાના
શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com