________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[ ૨૩૩ પરમાત્માનું જ સ્વરૂપ કહ્યું તેવું સ્વરૂપ પ્રભુ ! તારા ગર્ભમાં પણ પડયું છે. ભગવાન! તારા પેટમાં આવા પરમાત્મા બિરાજે છે. પર્યાયદષ્ટિમાં ભલે પરમાત્મામાં અને તારામાં ફેર હોય પણ વસ્તુદષ્ટિએ તારા આ દેહવાસી દેવમાં અને નિરંજન પરમાત્મામાં કાંઈ ફેર નથી.
એક વીતરાગી ભગવાન સિવાય એવું કોણ કહે કે “મારા ઉપરથી લક્ષ છોડ અને તું તારું લક્ષ કર તો પરમાત્મા થઈશ.' મોઢાં સામેનો કોળિયો એક ભગવાનને ગોઠતો નથી, બીજા બધાને તો ગોઠે છે. બધાં પહેલાં પોતાના મોઢામાં કોળિયો મૂકે પછી બીજાના મોઢામાં મૂકે ત્યારે અહીં તો ભગવાનને માન જોઈતું નથી. ભગવાન કહે છે કે તું અમારું લક્ષ કરીશ તો તને રાગ થશે. તું તારું લક્ષ કર! અમારી ભક્તિથી તારું કલ્યાણ નહિ થાય. તું તારો આશ્રય કર તો તારું કલ્યાણ થશે. તારા દેહમાં પરમાત્મા જેવો જ ભગવાન બિરાજમાન છે માટે તું પરમાત્મામાં અને તારામાં ભેદ ન જાણ!
પૂર્વોપાર્જિત દુર્નિવાર કર્મના ઉદયવશે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં જે અહીં શોક કરવામાં આવે છે તે અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન છે. કારણ કે તે શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ અર્થ અને કામરૂપથી પુરુષાર્થ આદિ જ નષ્ટ થાય છે.
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com