________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૨૩
પરમાત્મા]
પોતાને ન્યાલ કરવાનો ઉપાય પોતામાં જ છે. ક્યાંય બહાર નથી. પણ બહારની ચીજના માહાભ્ય આડે આત્મા તો કોઈ જાણે વસ્તુ જ નથી એમ અજ્ઞાનીને થઈ ગયું છે. પરચીજ, શુભભાવ કે ક્ષયોપશમ જ્ઞાનની મહિમાની આડમાં અજ્ઞાની આખા ચૈતન્યદેવની મહિમાને ચૂકી જાય છે. મિથ્યાષ્ટિ સંયોગમાં, વિકારમાં કે અલ્પજ્ઞ આદિ પર્યાયમાં જ પોતાનું હોવાપણું સ્વીકારે છે. તેથી તેની અસત્ દષ્ટિમાં રાગ-દ્વેષ સાથે જ વસેલા છે. પોતામાં પર્યાયદષ્ટિ છે એટલે બીજા જીવોને પણ પર્યાયદષ્ટિથી જોઈને રાગ&ષ કર્યા કરે છે. મિથ્યાષ્ટિનું ઉલ્લસિત વીર્ય પરમાં જ રોકાઈ ગયું છે, ત્યાં જ સુખ માને છે અને જેણે ભગવાન આત્માનો ભેટો કર્યો તે ૯૬OOO રાણીના વૃદમાં પણ સુખ માનતો નથી. તેની દષ્ટિની કેટલી કિંમત ! દૃષ્ટિ આખી સ્વભાવ તરફ ગુલાંટ ખાઈ ગઈ છે તેને બહારમાં ક્યાંય સુખ ભાસતું જ નથી.
પરયમાં બે ભાગલા પાડે છે તે મિથ્યાદષ્ટિ છે. આ ઠીક અને આ અઠીક એવી બુદ્ધિ મિથ્યાષ્ટિને જ હોય છે. જ્ઞાનીને એવી બુદ્ધિ ન હોય અસ્થિરતાને કારણે ઇષ્ટઅનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ તે પરને કારણે નહિ અને સ્વભાવના કારણે પણ નહિ. માત્ર એક ચારિત્રના દોષને કારણે કમજોરી છે તેથી ઇષ્ટ-અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ તે શેયમાં બે ભાગલા પાડતાં નથી.
* મારું મરણ નથી તો મને ડર કોનો? મને વ્યાધિ નથી તો મને પીડા કેવી ? હું બાળક નથી, હું યુવાન નથી. એ સર્વઅવસ્થાઓ પુદ્ગલની છે. (શ્રી ઇષ્ટ-ઉપદેશ) "
.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com