________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮]
મોક્ષમાર્ગી છે, તેણે જ રત્નત્રયની એકતા ધારણ કરી છે. એ ભવ્યજીવ વીતરાગસ્વભાવમાં લીન હોય છે અને રાગ-દ્વેષથી ભિન્ન હોય છે, તેથી કર્મોથી બંધાતા નથી.
વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા અને તેમાંથી ઉત્પન્ન થયેલો વીતરાગભાવ બંધનો નાશ કરનાર છે. સમ્યગ્દર્શન પણ અંશે વીતરાગભાવ છે. તેથી જ સમ્યગ્દષ્ટિને ૪૧ પ્રકૃતિનો બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ જે કર્મોથી તે બંધાતો નથી તે જ કર્મોથી પરદ્રવ્યની અહંબુદ્ધિ કરનારો અજ્ઞાની બંધાય છે. અનંત સંસારને વધારનારા ચીકણાં કર્મોથી બંધાય છે, જ્ઞાની બંધાતા નથી.
અહીં સમયસારના છેલ્લાં કળશનો આધાર આપ્યો છે. ધર્મીની દષ્ટિ અને દષ્ટિના વિષયમાં રાગ-દ્વેષ-મોહ નથી તેથી કહ્યું છે કે ધર્મને રાગ-દ્વેષ-મોહ હોતાં જ નથી. તેથી ધર્મીને કર્મોનો બંધ થતો નથી અને સ્વભાવમાં રમણતાને લીધે વીતરાગતા વધતી જાય છે અને અસ્થિરતાનો જે રાગ છે તે ઘટતો જાય છે.
આમ, સાર એ કહ્યો કે અબંધસ્વભાવના દષ્ટિવંત ધર્મીને બંધ હોતો નથી.
HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT
* જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને પછી સવાર થતાં તેઓ સહસા સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળોનો આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી.
(શ્રી પદ્મનંદી-પંચવિંશતિ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com