________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[૧૯૩ ભેદવિજ્ઞાનને ભાવે છે અને ધીરે ધીરે નિર્મળ થતો મુનિ થઈને કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. સમ્યગ્દર્શન તે જ સાચો મિત્ર છે, જે સંસારના દુઃખથી છોડાવી નિર્વાણ પહોંચાડી દે છે.
હવે અહીં આત્માનુશાસનનો દાખલો આપે છે કે સમ્યગ્દર્શન વિના શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર આદિ બધું પથ્થર-કાંકરા સમાન તુચ્છ છે અને એ જ શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર આદિ સમ્યગ્દર્શન સહિત હોય તો તેની કિંમત મહારત્ન સમાન થઈ જાય છે.
આમ મૂળ કિંમત સમ્યગ્દર્શનની છે તેથી સમ્યગ્દષ્ટિ જ મુખ્ય છે, પંડિત છે અને જગશ્રેષ્ઠ છે. આથી ધર્મના મૂળ તરીકે સમ્યગ્દર્શન સિવાય બીજી કોઈ ચીજ મહિમાવંત નથી.
oooooooooooooooooooooooooooooooooooo
* જીવનકે ક્ષણભંગુર હોને સે હી સંસારકી સુખદાયક વસ્તુઓકા કોઈ મૂલ્ય નહીં હૈ. ઈસીસે ઈન્દુ ત્યાજ્ય કહા હૈ. યદિ ચંચલ નેત્રવાલી યુવતિયોંકે યૌવન ન ઢલતા હોતા, યદિ રાજાઓંકી વિભૂતિ બિજલીકે સમાન ચંચલ ન હોતી, અથવા યદિ યહુ જીવન વાયુસે ઉત્પન્ન હુઈ લહરોકે સમાન ચંચલ ન હોતા તબ કૌન ઈસ સાંસારિક સુખસે વિમુખ હોકર જિનેન્દ્રકે દ્વારા ઉપદિષ્ટ તપશ્ચરણ કરતા!
(શ્રી સુભાષિતરત્નસંદોહ)
ooooooooooooooooooooooooooooooooooooo
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com