________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિ: 2000 વીર સં. ૨૫૧૩ * વિ. સં. ૨૦૪૩ * ઈ. સ. ૧૯૮૭
દ્વિતીય આવૃત્તિઃ ૨000 વીર સં. ૨૫૨૧ * વિ. સં. ૨૦૫૧ * ઈ. સ. ૧૯૯૫
પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. “પોતાને કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન છે” એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે “વ્યવહારના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે” એવી વિવેક્ષાથી જ શાસ્ત્રમાં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે, “તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે' એવી વિવેક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (આલંબન, વલણ, સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહિ.
- પ. હિંમતભાઈ જે. શાહ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com