SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [પ્રવચન નં. ૨૯ ] એમ નક્કી કર – ચાર સંજ્ઞા-રહિત ને ચા૨ ગુણ સહિત ૫૨માત્મા છું [શ્રી યોગસા૨ ઉપ૨ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૮-૭-૬૬ ] શ્રી યોગસારશાસ્ત્રમાં આ ૭૭મી ગાથા ચાલે છે. छडिवि बे-गुण-सहिउ जो अप्पाणी वसेइ । जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७ ।। બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસલીન; શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે [હું પ્રભુ જિન. ૭૭. દિગંબર સાધુ યોગીન્દ્રદેવ ફરમાવે છે કે જે જીવ બે દોષને ત્યાગી, બે ગુણ ગ્રહણ કરી પોતાના આત્મામાં લીન થાય છે તે શીઘ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. એમ જિનદેવનું ફરમાન છે. રાગ-દ્વેષ એ બે દોષને ત્યાગી જ્ઞાન-દર્શનગુણને શાની ગ્રહણ કરે છે. સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનમાં પણ રાગ-દ્વેષમાં એકત્વ કરતાં નથી. જ્ઞાનીને રાગ-દ્વેષ હોય છે. ખરા પણ જ્ઞાની તેને રોગ તરીકે જાણે છે, અતિરૂપ છે એમ માને છે. હિતરૂપ તો એક પોતાના શુદ્ધ સ્વરૂપની દષ્ટિ-જ્ઞાન અને રમણતા જ છે. અજ્ઞાની જીવે અનંતકાળથી પોતાના સ્વરૂપની દૃષ્ટિ જ કરી નથી તેથી જ્ઞાની કહે છે કે પ્રથમ તું તારા અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા અને જ્ઞાન કર અને રાગ-દ્વેષ જે તારું સ્વરૂપ નથી તેમાંથી એકત્વપણાની શ્રદ્ધા છોડ! દરેક આત્મા સૂર્યની જેમ સ્વ-૫૨પ્રકાશક શક્તિવાળા છે. પોતાને જાણે છે અને પોતાની હયાતી-મોજૂદગીમાં રહીને જ અન્ય સર્વને પણ જાણે છે. એવો જ કોઈ આત્માનો સર્વજ્ઞત્વ અને સર્વદર્શીત્વ સ્વભાવ છે. આવા આત્માની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે પ્રથમ ભૂમિકા છે. સિદ્ધભગવાનને જેવો અતીન્દ્રિય આનંદ છે તેવો જ અતીન્દ્રિય આનંદ મારામાં પણ છે, તેનો અનુભવ કરવો એ જ મારું કર્તવ્ય છે, અને એ જ મારો ખોરાક છે-એમ પ્રથમ શ્રદ્ધામાં લે! પોતાની સત્તાની ભૂમિમાં જ કર્તા-ભોક્તાપણું છે. ૫૨ની સત્તામાં રહેલાં પદાર્થને આત્મા કરી કે ભોગવી શક્તો નથી. શ્રોતા :- શ્રી કુંદકુંદ આચાર્ય કહે છે ને કે આત્મા ૫૨ને ભોગવે છે? : પૂજ્ય ગુરુદેવશ્રી :- એ તો નિમિત્તથી કથન છે, ખરેખર આત્મા ૫૨ને ભોગવતો જ નથી. આત્મા પરરૂપે થયા વગ૨ ૫૨ને કરે કેમ અને ભોગવે કેમ ? શ્રી કુંદકુંદ આચાર્ય પોતે જ કહે છે કે કુંભાર ઘડાને કરતો નથી, માટી ઘડાને કરે છે. એટલે વસ્તુ પોતે જ સ્વતંત્રપણે Please inform us of any errors on [email protected]
SR No.008243
Book TitleHoon Parmatma Choon
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy