SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત જ્ઞાનસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. તે પરને જાણે તે કાંઈ આસ્રવ-બંધનું કારણ નથી, છતાં અજ્ઞાની “પરનો વિચાર કરશું તો આસ્રવ-બંધ થશે' એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે તેની તે માન્યતા જઠી છે. હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; પણ અજ્ઞાની તો “પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે” એમ માને છે. જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલાં સંવર-નિર્જરા છે, અને જેટલા રાગાદિભાવ છે તેટલા આસ્રવ-બંધ છે. જો પરનું જ્ઞાન બંધનું કારણ હોય તો કેવળીભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરા પણ થતું નથી. તેમને રાગદ્વેષ નથી માટે બંધન નથી. તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. ૧૨૪. તત્ત્વજ્ઞાન થતાં આત્માની દૃષ્ટિ થઈ, “સંયોગમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે” એવી દષ્ટિ છૂટી ગઈ, અને આસ્રવની ભાવના છૂટી ગઈ, તેને આત્મામાં લીનતા થતાં ઇચ્છાઓનો જે નિરોધ થાય છે, તે તપ છે. ૧૨૫. આત્મા પામવા માટે (ગુગમે) શાસ્ત્રનો Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy