SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત દષ્ટાન્તમાં તો જોનાર બીજો છે પણ આત્મામાં તો પોતે જ જોનાર છે. આત્મામાં જે વર્તમાન મલિન અવસ્થા છે તે તેનો મૂળ સ્વભાવ નથી; તેથી વર્તમાનમાં લિન અવસ્થાવાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે, તેની પ્રતીતિ કરી શકે છે. ૬૭. * અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહેલો જે આત્માને પહોંચી વળવાનો માર્ગ-મોક્ષમાર્ગ તે ત્રણે કાળે એક જ છે. જેને તે પામવાની રુચિ છે, સદ્દગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહે નહિ. કદાપિ સદ્દગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ ૫૨માર્થની ખટક હોય તેને આવો માર્ગ મળે જ. ૬૮. * ૪૫ જે સહજ આત્મસ્વરૂપમાં ગુસ થઈને રહે છે, સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે તે બદ્ધ-અબદ્ધના પક્ષના રાગમાં ઊભો રહેતો નથી; રાગનાં જાળાં છોડીને જેનું ચિત્ત શાંત થયુ છે તે નિજ આત્માના Please inform us of any errors on [email protected]
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy