SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૪૩ આ મોંઘા મનુષ્યભવમાં જ જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ તત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી તો આ મનુષ્યભવ નિષ્ફળ છે. ૬૩. મુનિદશા થતાં સહેજે નિગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. મુનિની દશા ત્રણે કાળે નગ્ન દિગંબર હોય છે. આ કોઈ પક્ષ કે વાડો નથી પણ અનાદિ સત્ય વસ્તુસ્થિતિ છે. શંકા - મુનિદશામાં વસ્ત્ર હોય તો વાંધો શો છે? વસ્ત્ર તો પરવસ્તુ છે, તે ક્યાં આત્માને નડે છે? સમાધાનઃ- વસ્ત્ર તો પરવસ્તુ છે અને તે આત્માને કાંઈ નડતાં નથી એ વાત પણ ખરી છે; પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે રાગમય બુદ્ધિ જ મુનિદશાને રોકનાર છે. મુનિઓને અંતરની રમણતા કરતાં કરતાં એટલી ઉદાસીન દશા સહેજે થઈ ગઈ હોય છે કે વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ જ ઊઠતો નથી. ૬૪. પરના નિમિત્તે ને પોતાની યોગ્યતાના કારણે જીવ પર્યાયમાં ભૂલ કરે તો જે રાગ-દ્વેષરૂપ ધુમાડો ઊઠે છે તે અશુદ્ધ ઉપાદાનથી થયેલી જીવની-જીવના વીતરાગસ્વભાવ નામના ચારિત્રગુણની–અરૂપી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy