________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭
ગુરુદેવશ્રીનાં વચનામૃત 'दौल' समझ सुन चेत सयाने, काल वृथा मत खोवै, यह नरभव फिर मिलन कठिन है, जो सम्यक् नहीं होवै।।
મોક્ષમાર્ગની વૃદ્ધિ અને પૂર્ણતા પણ તે જ રીતે થાય છે, પુણ્ય વડે નથી થતી. પુણ્ય છોડવાથી મોક્ષ થાય, રાખવાથી નહિ. પુણ્ય વડે લક્ષ્મી વગેરે ધૂળના ઢગલા મળે, પરમાત્મપણું ન મળે. પરમાત્મપણું તો સંપૂર્ણ વીતરાગ ભાવથી જ મળે. આ રીતે વીતરાગતા તે જ ધર્મ છે, તે જ ભગવાનનો માર્ગ છે અને તે જ બધાં શાસ્ત્રોનો સાર છે. પ૫.
જ્ઞાન અને રાગને લક્ષણભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. જેમ જે સંપૂર્ણ વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જે સર્વ પ્રકારના રાગથી જ્ઞાયકની ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખી-અનુભવી શકે. એવી સાનુભવ ઓળખાણ કરનાર જીવો વિરલા જ છે. જેમ પાપભાવો શુદ્ધાત્માની સ્વાનુભૂતિથી બહાર છે, તેમ પુણ્યભાવો પણ બહાર જ રહે છે, સ્વાનુભૂતિમાં નથી પ્રવેશતા; અને તેથી જ તેમને “અભૂતાર્થ' કહ્યા છે. પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધ આત્માની–ભૂતાર્થ જ્ઞાયકસ્વભાવની-અંતરમાં દષ્ટિ થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, અને તે જ સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com