________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત તે શ્રાવકમાર્ગ છે અને તેનાથી પણ વિશેષ સ્વરૂપ રમણતા તે મુનિમાર્ગ છે. સાથે વર્તતાં બાહ્ય વ્રત-નિયમો તો અધૂરાશની-કચાશની પ્રગટતા છે. અરેરે ! મોક્ષમાર્ગની મૂળ વાતમાં આટલો બધો ફેર પડી ગયો છે. ૫.
પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ૬.
આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. શ્રીમદે કહ્યું છે ને!-“ઊપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૭.
નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ-મોક્ષ બે પડખાં પડે છે અને તેની અપેક્ષા ન લેતાં એકલું નિરપેક્ષ તત્ત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે. ૮.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com