SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત છે ત્યારે તેમને અપ્રમત્તધ્યાન થઈ જાય છે, સહજપણે સ્વરૂપમાં લીન થઈ જાય છે. –એમ વારંવાર મુનિરાજ પ્રમત-અપ્રમત દશામાં ઝૂલતા હોય છે. આવી મુનિરાજની નિદ્રા છે; તેઓ સામાન્ય માણસની જેમ કલાકોના કલાકો સુધી નિદ્રામાં ઘોર્યા ન કરે. અંતર્મુહૂર્ત સિવાય વધારે કાળ છંદે ગુણસ્થાને મુનિરાજ રહેતા જ નથી. મુનિરાજને પાછલી રાતે ક્ષણવાર ઝોલું આવે, તે સિવાય તેમને ઝાઝી નિદ્રા જ ન આવે એવી તેમની સહજ અંતરદશા છે. ૨૮૩. ૧૫૪ * સવારમાં જેને રાજસિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમ્મૂઢ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ! સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ. એક વાર તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંત કાળ કર્યા છતાં શાંતિ ન મળી, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઇચ્છવા જેવા નથી. અંતરનું એક ચિદાનંદ તત્ત્વ જ ભાવના કરવા જેવું છે. ૨૮૪. * સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને Please inform us of any errors on [email protected]
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy