________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૨૩
જ જીવ મોક્ષમાર્ગ ને મોક્ષને પામે છે; અને જે જીવ શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતો નથી ને પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય કરે છે તે જીવ કોઈ સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં સમ્યગ્દર્શનાદિ પામતો નથી. તાત્પર્ય એ છે કે શુદ્ધન, ત્યાગવાયોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ૨૨૪.
વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોવી જોઈએ, કારણ કે આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ; તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. તેથી લોભી વક્તા સાચો ઉપદેશ આપી શકે નહિ. ર૨૫.
સ્ફટિકમાં રાતી ને કાળી ઝાંય પડે છે તે વખતે પણ તેનો જે મૂળ નિર્મળ સ્વભાવ છે તેનો અભાવ થયો નથી; જો નિર્મળપણાની શક્તિ ન હોય તો રાતા–કાળાં ફૂલ દૂર થતાં જે નિર્મળપણું પ્રગટ થાય છે તે કયાંથી આવ્યું? તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય છે તે વખતે પણ આત્માના મૂળ શુદ્ધ
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com