________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં અપવાસ કરો અને વ્રત કરો એવી વાત ચાલે છે.
પણ અહીં કહે છે કે એ જે બધા વિકલ્પો છે તે તો અશુદ્ધ છે. અને એ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગે ઉત્પન્ન થાય છે પણ એ સ્વાભાવિક ચીજ નથી. સ્વાભાવિક ચીજ તો જે ત્રિકાળી ચીજ છે તે સ્વાભાવિક છે, સહજ છે અને તેની દષ્ટિ પણ શુદ્ધ છે.
(૧) દ્રવ્ય શુદ્ધ છે તો તેની દષ્ટિ પણ શુદ્ધ છે. (૨) દ્રવ્ય અભેદ છે અને પર્યાય પણ તેમાં અભેદ થઈ
ગઈ, અને (૩) દ્રવ્ય નિશ્ચય છે તો તેની પર્યાયને પણ નિશ્ચય
કહેવામાં આવે છે. અહા ! વસ્તુ “ભૂતાર્થ છે ' ભૂત નામ છતી-યાતી-ત્રિકાળ મોજુદ-ચીજ છે. જ્યારે પર્યાય છે એ તો ક્ષણિક, વિકાર અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલી છે. તો, આ વસ્તુ છે તે સત્ય છે, “ભૂતાર્થ છે, સત્યાર્થ છે –સ-સત્-એ કાયમી સત્ પદાર્થ છે. અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. અરે! આનો અભ્યાસ ન મળે અને કાંઈ ખબર પણ ન મળે. પરંતુ જગતના પાપના બધા અભ્યાસ છે. માલિક હોય તો આખો દિ' ધંધો-દુકાને બેસી ઘરાકને સાચવવા અને નોકરી હોય તો બે-પાંચ હજારનો પગાર મળે–એકલું પાપ આખો દિ' છે. અરે ! ધરમ તો નથી. પણ પુણ્યય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com