________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
પપ છે, તેમ “સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ'... દષ્ટાંત આપ્યું છે કે “દીવાની જેમ કર્તાકર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે.' એટલે? કે “પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ”—આ પર્યાયની વાત છે હો, જાણનારને જાણ્યો અને પ્રમેયને જાણ્યું એવું એ જાણવાના પર્યાયનું કાર્ય, કર્તા જ્ઞાયકનું છે. પણ એ રાગ-વ્યવહારને જાણ્યો માટે વ્યવહાર કર્તા છે અને જાણવાની પર્યાય તેનું કર્મ-કાર્ય છે એમ નથી. અહા ! કેટલું સામર્થ્ય છે! જ્યારે અજ્ઞાની કહે કે મેં સમયસાર પંદર દિવસમાં વાંચી નાખ્યું, બાપા! ભાઈ ! તારો પ્રભુ કોણ છે તેને જાણવા માટે અરે! અનંતકાળના પરિભ્રમણમાં કોઈ દિ' તેણે સાચો પ્રયત્ન કર્યો જ નથી. અને ઊંધા પ્રયત્ન કરીને માન્યું છે કે અમે કંઈક કરીએ છીએ, ધર્મ કરીએ છીએ. પણ તેથી તો હેરાન થઈને ચાર ગતિમાં રખડે છે.
અહીં કહે છે કે ભગવાન આત્માને જ્યારે તેણે સર્વજ્ઞપદે સ્થાપ્યો અને જ્યારે તેને સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું ત્યારે તેણે સ્વને જાણનારને–તો જાણ્યો. પણ તે વખતે તેણે પરને જાણું છે? ભાઈ ! તે વખતે પણ તેણે જાણનારની પર્યાયને જ જાણી છે, જાણનારની પર્યાય તરીકે જ તે જણાણો છે. પણ રાગની પર્યાય તરીકે જણાયો છે કે રાગની પર્યાય છે માટે તેને જાણે છે એમ નથી. ભગવાનની, પરમાત્માની વાણી અને મુનિઓની વાણીમાં તે બેમાં ફેર નથી. કેમ કે મુનિઓ આડતિયા થઈને સર્વશની વાણી જ કહે છે. પણ ભાઈ ! તે વાત તેં સાભળી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com