________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાયક ભાવ
૧૦૭ હવે અહીંયાં ધર્મની (સવળી) વાત કરે છે કે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય તે પુણ્ય-પાપના ભાવથી હું ભિન્ન છું, મારી ચીજ તો તેનાથી દૂર ભિન્ન છે, હું તો જ્ઞાયક ચૈતન્યરસથી અને અતીન્દ્રિય આનંદથી ભરેલ તત્ત્વ છું-આમ રાગ કે જે પરદ્રવ્ય છે તેનાથી પોતાને ભિન્ન કરે છે તે સંસારથી છૂટે છે. અનાદિથી તે
સ્વદ્રવ્યથી ભિન્ન થઈ ગયો છે. તો હવે પોતાને પરદ્રવ્યથી ભિન્ન કરવાનો છે. સ્વદ્રવ્યથી ભિન્ન થઈને રાગદ્વેષને પોતાના માને છે તે જ તો સંસાર છે, કલેશ છે, દુઃખ છે, નરક-નિગોદનું કારણ છે. પણ જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર માટે આ કમાવું, રળવું, સંસારનું ધ્યાન રાખવું અને સ્ત્રી-કુટુંબ-પરિવારની સંભાળ કરવી વગેરે અશુભભાવ તો પાપ છે, સંસાર છે, ક્લેશ છે, દુઃખ છે. અને તે ભવિષ્યમાં પણ કલેશ અને દુઃખનું કારણ છે. પરંતુ શુભભાવ પણ વર્તમાનમાં દુ:ખરૂપ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો વિકલ્પ પણ રાગ છે, દુઃખ છે, વર્તમાનમાં કલેશરૂપ છે અને ભવિષ્યમાં પણ લેશનું કારણ છે, તો તેનાથી ભિન્ન પડીને અર્થાત્ તે શુભ-અશુભભાવ તો ક્લેશ છે, સંસાર છે, દુઃખ છે, મારી ચીજમાં એ નથી-એમ પરદ્રવ્યથી ભિન્ન થવું. કેમ કે ચૈતન્ય ભગવાનની સાથે તે પુણ્ય-પાપના રાગની એકત્વબુદ્ધિ એ પરિભ્રમણનું બીજડું છે. માટે તે એકત્વને તોડવું અને ચૈતન્યને પૃથક કરવું ભેદજ્ઞાન કરવું. તે પુણ્ય-પાપના ભાવ મલિન છે, દુઃખ છે. તેનાથી પોતાની ચીજ ભિન્ન છે. એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com