________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“ અર્પણ”
ઇન્દ્રિયજ્ઞાન....જ્ઞાન નથી, તે ગુપ્ત રહસ્યના ઉદ્દઘાટક સન્માર્ગદર્શી, જ્ઞાયક ઉપાસક પૂ. ભાઈશ્રી. આપ શ્રી એ જ્ઞાનનો મૂળ સ્વભાવ દર્શાવ્યો છે. તઉપરાંત સાધકની સવિકલ્પ દશાનું વિશિષ્ટ પ્રકારે સ્પષ્ટતા કરી એકજ જ્ઞાનની પર્યાયમાં સાધકના નિશ્ચય પૂર્વક નિશ્ચયવ્યવહારનું માર્મિક, ગૂઢ, ગુપ્ત સ્વરૂપ પ્રકાશિત કરી અમ મુમુક્ષુ સમાજ ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનવું તે જ ભ્રાંતિ છે અને તે જ સંસાર છે. મોહની ઉત્પત્તિનું મૂળિયું ઇન્દ્રિયજ્ઞાન છે. અને હું પરને જાણતો નથી, તેમાં ઇન્દ્રિયજ્ઞાનને જીતવાની તેમજ અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કરવાની અનુપમ વિધિ દર્શાવી છે. આપશ્રીની સ્વરૂપ અનુભૂતિની
દિવ્ય ભાવનાઓને પુસ્તકસ્વરૂપે પ્રતિબિંબિત આપશ્રીનાં
કર કમળોમાં સાદર સવિનય સમર્પિત કરીએ
છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com