________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ”
અધ્યાત્મ શિરોમણિ યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી આપશ્રીએ મોક્ષમાર્ગનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ કરી અને બતાવ્યું છે. અને અનેક ભવ્યજીવોને મુક્તિમાર્ગના પથિક બનાવ્યા છે. દ્રવ્યઇન્દ્રિયો, ભાવઇન્દ્રિયો અને તેના વિષયોથી ભેદજ્ઞાન કરાવ્યું છે. “કાનનો ઉઘાડ શબ્દને સાંભળે છે, જ્ઞાનનો ઉઘાડ આત્માને જાણે છે, ' આમ ભાવેન્દ્રિયોને આત્માથી અને આત્માના જ્ઞાનથી સર્વથા ભિન્ન બતાવી અને શેયજ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરાવ્યો છે. આમ ઉત્કૃષ્ટ ભેદજ્ઞાનનું મહાશરણ આપી જિતેન્દ્રિય જિન થવાની અનુપમ વિધિ દર્શાવી છે. આપશ્રીએ પ્રકાશેલા માર્ગને અનેક પ્રકારના ન્યાયોથી વધારે દઢ કરાવનાર આપશ્રીના ધર્મસુપુત્ર ‘કહાન લાલ” નાં પ્રવચનોને પુસ્તક રૂપે પ્રકાશિતકરી આપશ્રીના હસ્ત કમળમાં સવિનય અર્પણ
કરીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com